સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

પ્રજ્ઞા






પ્રજ્ઞા વિષે

ડાઉનલોડ કરવા નામ પર ક્લિક કરો
પ્રજ્ઞા કાર્યક્રમને અસરકારક રીતે સફળ બનાવવા માટે શું કરવું જોઈએ ?
  • ધો-1 માં જયારે બાળક અને વાલી આવે ત્યારે પ્રજ્ઞા અભિગમ વિશે કમ્યુટરમાં એક ફોર્મેટ તૈયાર કરી તેની પ્રિન્ટ આઉટ અથવા ઝેરોક્ષ કરીને વાલીને આપો અને વાલીને આ કાર્યક્રમની સમજ આપો.
  • દરરોજનું આયોજન નકકી કરીને તે પ્રમાણે વર્ગમાં પ્રવૃતિ કરાવો.
  • વર્ગમાં ટી.એલ.એમ પૂરતાં પ્રમાણમાં રાખો જેથી એકથી વધારે બાળકોને જયારે ઉપયોગ કરવાનો થાય ત્યારે તે લઈ શકે.
  • જૂથમાં હોંશિયાર,મધ્યમ તથા ધીમું શીખનાર બાળકોનો સમાવેશ કરવો.
  • વાલી જયારે શાળામાં આવે ત્યારે તેના બાળકે કરેલી પ્રવૃતિ બતાવવી.
  • બાળકોને તેમને જોઈતી સ્ટેશનરી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરો.
  • કાર્ડ પર આપેલ ચિત્રો યાદ રાખવાની બાળકને કોઈ જરૂર નથી.
  • બાળકના કાર્યને વર્ગ સમક્ષ બિરદાવો. 
    પ્રવેશોત્સવ વખતે વાલીઓને પ્રજ્ઞા કાર્યક્રમ વિશે આપવાની સુચના
આપણી ................................. માં ચાલુ વર્ષથી પ્રજ્ઞા કાર્યક્રમ ધોરણ 1 અને ધોરણ 2 માં અમલી બન્યો છે.  
પ્રજ્ઞા એટલે પ્રવૃતિ દ્વારા જ્ઞાન.  
પ્રજ્ઞા કાર્યક્રમ સંપૂર્ણ પ્રવૃતિ આધારીત કાર્યક્રમ હોવાથી આ કાર્યક્રમમાં બાળકોને ખૂબ જ મઝા આવશે.  
બાળકોને જરૂરી તમામ સામ્રગી જેવી કે પેન્સિલ,રબર,સંચો,બીજી અન્ય સ્ટેશનરી શાળા તરફથી આપવામાં આવશે.  
ભાર વગરના ભણતર અન્વયે તથા બાળકોને જરૂરી સામ્રગી શાળામાંથી આપવાની હોવાથી બાળકે દફતર લઈને આવવાનું રહેશે નહીં.  
સમયાંતરે આપના બાળકોની સિધ્ધીની જાણ આપને કરવામાં આવશે.
                                                                                                          આચાર્યશ્રી     .....................પ્રા.શાળા                                                                                          તાલુકો................જિ-........................                                                                                 

No comments: