સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Tuesday, January 10, 2012

SUVICHAR

Saralta ti kai na male to dukhi na thaso,
Mali jai jo badhu to prayatna su krso ?
Sapna badha hakikat nti thata,
Thase badhu hakikat to sapna su joso ??

સુખ નથી આવતુ દુ:ખ વગર , પ્રેમ નથી મળતો નફરત વગર.માટે ભરોસો રાખજો ઇશ્વર ઉપર, કેમ કે ઇશ્વરે સાગર નથી બનાયો કિનારા વગર.
જીવન મા જયારે પણ ગુચ પડે તો તેને ઉકેલજો કયારેય તેને તોડશો નહિ, કારણ કે તુટેલી ગુચ સધાઈ જશે ,પણ વચ્ચે ગાઠ તો રહી જ જશે .
પડી જાય ઘર બન્યા પહેલાં તો ચણતરની ખામી છે,
બેટા બાપ સામા થાય તો ભણતરની ખામી છે,

રામ-શ્રવણની માતૃભક્તિ છે ભૂમિના કણકણમાં

એ ભૂમિમાં આવુ થાય તો નક્કી ઘડતરની ખામી છે.

જીવન ને ધબક્તુ રાખવા શ્વાસ જરુરી છે, સબધ ને ધબક્તુ રાખવા વિશ્વાસ જરુરી છે.
કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.
પરાજય શું છે ?
એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
‎”અરીસો”
મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે,

કારણ કે…

હું જ્યારે રઙું છું ત્યારે તે હસતો નથી
નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે,
પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે.
કોઈની સલાહ પ્રમાણે ચાલવામાં જેટલું જોખમ છે એટલું જ જોખમ સલાહ આપવામાં છે. :P
જિંદગીમાં કોઈને પ્રેમ નાં કરતા,
અને થઇ જાય તો ઇનકાર નાં કરતા,

નિભાવી શકો તોજ ચાલજો તેના રસ્તા ઉપર,

નહીતર કોઈની જીંદગી બરબાદ નાં કરતા.
Jindgi ne saralta ti samjva mate 3 vat yad rakhva jevi 6.
1 – Radvu nahi
2 – Ladvu nahi ane koi ne
3 – Nadvu nahi

વેદનાગ્રસ્ત માનવી ચેનથી ઊંઘી શકતો નથી, તો આનંદવિભોર માનવી પણ નિરાંતે ઊંઘી શકતો નથી.


કોઈને વ્યક્તિ નડે છે, કોઈને પોતાની જ પ્રકૃતિ નડે છે, તો કોઈને વિધિ કહો તો વિધિ અને સંજોગોનું નામ આપીએ તો સંજોગો નડે છે. ખૂબ ઓછાનું જીવન પ્રારંભથી અંત સુધી સુખથી, ચેનથી, સરળતાથી પાર ઊતરે છે.
********
માનવીએ શા માટે માનવીને ઓળખવા મથવું જોઈએ ? કોઈ કોઈને કદી ઓળખી શક્યું છે ? માનવી સૌથી વધુ દુઃખ પામતો હોય છે, આ ‘સમજી શકવાની’ની મથામણને અંતે લાધેલી ‘ન સમજી શકવાની’ અનુભૂતિથી શારીરિક દુઃખો કરતાંય અધિક.
********
લાગણીના આવેશમાં તણાવું એક બાબત છે અને નક્કર વાસ્તવિકતા બીજી બાબત છે. લાગણીનું સ્વરૂપ જેટલું રમ્ય છે તેનાથી અનેકગણું બિહામણું સ્વરૂપ વાસ્તવિકતાનું છે.
********
યુવાનો સાથે યુવાન થઈને ન રહેનારાં, પલટાતા સમય સાથે તાલ ન મેળવી શકનારાં, ઘણાં માબાપ યુવાનપેઢીને ગમતાં નથી. માબાપ બુઢ્ઢાં થઈ જાય છે એટલે નહીં, પણ એમના વિચારો યુવાન નથી રહી શકતા માટે.
********
‘રૂપિયા’ નામના ભૌતિક યુગના સૌથી ચમકદાર પદાર્થથી ઈમારતો, થિયેટરો, કૉમર્શિયલ સેન્ટર્સ, સરહદો, સત્તાઓ, અરે ! માનવીઓનાં શરીરો સુદ્ધાં ખરીદી શકાતાં હશે, પણ હૃદય ખરીદવામાં એ સૌથી ચમકદાર પદાર્થ નામે ‘રૂપિયો’ હજુ સફળ થઈ શક્યો નથી.
********
મિલનનો સાચો આનંદ માણવા માટે વિયોગ પણ જરૂરી છે. ચોવીસ કલાક સાથે રહેનારાં યુગલો એકબીજા સાથે ફિજુલ ચર્ચાઓ કરી, સમજ કરતાં ગેરસમજ તરફ આગળ વધી, સમય કરતાં વહેલાં બુઢ્ઢાં થઈ જતાં હોય છે.


********
વીતી ગયેલી વાતોને નાહક સજીવન કરવાથી વર્તમાનનો આનંદ ઓગળી જાય છે. બની ગયું તે નથી બન્યું, નહોતું બન્યું એમ બનવાનું નથી. કબરમાંથી મડદાને ખોદી કાઢીએ તોપણ શું ?


********
માનવી ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, પ્રોફેસર, કલાકાર, સર્જક, ઉદ્યોગપતિ કે બીજું કોઈ પણ બાહ્ય ‘લેબલ’ ધરાવતો હોય, પરંતુ ‘માણસ’ તરીકેનું તેનું આંતરિક સ્વરૂપ પહેલું છે, મહત્વનું છે. ‘લેબલ’થી નહીં, આચરણથી જ માનવી શોભે છે.