સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Wednesday, April 21, 2010

FRIENDS


આભાર તારો કે આવી મિત્રતા આપી,
આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,
દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,
પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...
કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,
મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,
નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,
આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,
હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,
તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......

ન પુછો એ દોસ્તો કે કેવી અમે એવી ની ચોટ ખાધી છેકે
ભાવ અમારા ઉપસાવતા ખુદ ચિત્રકાર ને રડવુ પડ્યુ...!!!
આપતા અર્પી દીધી જીંદગી વિરહ ને હવાલે એણે
પછી હાલ આ નિહળી ખુદ સર્જનહાર ને રડવુ પડ્યુ...!!!

પ્રેમ એટલે હું નહીં…પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે
મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ










No comments: