સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Wednesday, September 1, 2010

મને મળી ગયું બાળપણ બાગમાં

હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
-દલપતરામ
વૃક્ષ ઝુકી ઝુકી વંદન કરતાં નિહાળું,

પવન લહેરાય છે બાગમાં.
ફૂલો મહેંકતા અભિવાદન કરે,

રંગ-બેરંગી પતંગા શોભે બાગમાં.
કોયલ ટહુક, ટહુક કરતી સાંભળું,

નાચે મોર કળાકરી ખુશ બાગમાં.
ઝાકળ-બિંદુ ચમકી રહ્યુ પાનપર,

પક્ષીગણ ગીત ગાતા બાગમાં.
નિર્મળ ઝરણ વહેતું ધીરે ધીરે,

બાળ છબછબીયા કરતાં બાગમાં,
સુરજ નીચે નમી કરે ડોકિયું,

મને મળી ગયું બાળપણ બાગમાં.

No comments: