સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Friday, April 19, 2013

ભણતરની ભુખ


ભણતરની ભુખ.....!

રસ્તા તણી વાટમાં ચોપડી પેન તણી હાથમાં,
જો હોય મન મક્કમ તો ભણવા જવાય છે ફૂટપાથમાં,
તાપ પડે કે ભલે પડે તડકો અક્સર કાયામાં
રોજી રળીને જવું છે આ ગગનવિહારી છાયામાં,
જરૂર નથી વૈભવી વિલાસ કે ભૌતિક રાચરચીલાની
કુદરતની ભૌતિક બાબતો જે મારા ભણતરના પાયાની
ડર નથી કે સંકોચ નથી  મને મારી જાત પર
પ્રેરણા બનવું છે મારા મલકની નારી જાત પર
મને ખબર છે કે બાળપણની છત્રછાયા રઝળતી જાય છે
તો પણ ભણતરની આ ભુખ મને અહીં લાવી જાય છે.
આ  ભણતરની ભુખ....

No comments: